ભૂલ ચૂક કે અનિયમસરતાને કારણે નિણૅય કે સજાનો હુકમ કયારે ફેરવી શકાય - કલમ : 511

ભૂલ ચૂક કે અનિયમસરતાને કારણે નિણૅય કે સજાનો હુકમ કયારે ફેરવી શકાય

(૧) ઇન્સાફી કાયૅવાહી થયા પહેલા કે તે દરમ્યાન કોઇ ફરિયાદ સમન્સ વોરંટ ઘોષણા હુકમ ફેંસલા કે બીજી કાયૅવાહીમાં અથવા આ સંહિતા હેઠળની કોઇ તપાસમાં કે કાયૅવાહીમાં કોઈ ભૂલ ચુક કે અનિયમસરતાને કારણે અથવા ફોજદારી કામ માટેની કોઇ મંજૂરીમાં થયેલ કોઇ ભુલ કે અનિયમસરતાને કારણે અપીલ ન્યાયાલય બહાલ રાખનાર ન્યાયાલય કે ફેરતપાસ કરનાર ન્યાયાલયના અભિપ્રાય મુજબ ખરેખર ન્યાયનો હેતુ સયૌ ન હોય તે સિવાય આ સંહિતાની આ પહેલાની જોગવાઇઓને અધીન રહીને તે ન્યાયાલય કાયદેસર હકૂમત ધરાવતા કોઇ ન્યાયાલયે કરેલો નિણૅય સજા કે હુકમ ફેરવી નાખી શકશે નહી કે તેમાં ફેરફાર કરી શકશે નહી.

(૨) આ સંહિતા હેઠળની કોઇ કાયૅવાહીમાંની કોઇ ભુલ ચુક કે અનિયમસરતાની અથવા ફોજદારી કામ માટેની મંજુરીમાંની કોઇ ભુલ કે અનિયમસરતાથી કોઇ અન્યાય તો થઇ ગયો નથી ને તે નકકી કરવામાં તે કાયૅવાહીના અગાઉના તબકકે વાંધો લઇ શકાયો હોત અને લેવો જોઇતો હતો કે કેમ તે હકીકત ન્યાયાલયે ધ્યાનમાં લેવી જોઇશે.